શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી સરસ્વતીએ નમઃ
“પ્રભુ! જ્ઞાની જીવન દે”
પ્રભુએ સૃષ્ટિ સર્જીને તેના દ્વારા ઘણું બધું આપ્યું છે. જ્ઞાન આપણને અનેક રીતે મળે છે.માતા, પિતા, ગુરુ દ્વારા, કોઈ પુસ્તક દ્વારા, મળેલા જીવનના કડવા મીઠા અનુભવો દ્વારા, મિત્રો દ્વારા ઘણું બધુ જ્ઞાન આપણને મળે છે.ભાગવત ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુન સાથેના સંવાદમાં પૂર્ણ જ્ઞાનની માહિતી આપી દીધી છે.વળી પ્રભુએ સૃષ્ટિ સર્જીને તેમાં ભ્રમણ કરવા આપણને તેમાં છોડી દીધા.તેમાં કોઈ જાતનું બંધન નથી રાખ્યું.જ્યાં જ્વુ હોય, જે લેવું હોય, ને જેટલું લેવું હોય તેમાં કોઈ મર્યાદા નથી રાખી.તેમાં ફક્ત તમારી ઈચ્છા શક્તિ, પ્રબળ ઈચ્છાને તે મેળવવાની ધગશ, સતત જાગૃતતાની જરૂર છે.હું જે જાણું છું તેને સમજી શકું, જે સમજુ છું તેને જીવનમાં ઉતારી શકું ને પ્રયત્ને મારા અંતરમાં પ્રભુની કૃપાથી જ્ઞાન પ્રગટે.
વળી જ્ઞાની જીવન દેકહેવાથી જ્ઞાની જીવન નથી મળી જતું.તેના માટે લેવું પડે છે.તેમાં મારા મંતવ્ય પ્રમાણે આપવા કરતા લેવાવાળાની ઈચ્છાની ગુણવત્તા કે ક્વોલીટી કહો તેના પર બહુ આધાર રાખે છે. એક જ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓને સમાન ભાવે ગુરુ શિક્ષા આપે છે, તેમાં કોઈ ભેદભાવ ન હોવા છતાં આપણે જોઈએ છીએ કે સોમાંથી એકનો જ પહેલો નંબર આવેછે કેમ?ગુરુએ બધાને એક સાથે જ સમાન ભાવે વિદ્યાનું વિતરણ કર્યું હતું પણ જે લેવાને અસમર્થ કહો કે, બેધ્યાન કહો કે ન લેવાની વૃત્તિ કહો તે વિદ્યાર્થી તે જ્ઞાન ન લઈ શક્યા. તેવી જ રીતે તેનાથી ઉલટું આપણે જોઈએ કે એકલવ્ય તે નીચી જાતિમાં જન્મ્યો હોવાથી તેને દ્રોણ ગુરુએ અવગણીને વિદ્યા પ્રાપ્તિ માટે નાસીપાસ કર્યો. છતાં એકલવ્ય હિમ્મત હાર્યા વગર ખાસ તો એ કે ગુરુએ તેનો અનાદર કર્યો પણ તેને તો ગુરુ પ્રત્યે એટલી શ્રધ્ધા રાખીને ગુરૂનું માટીનું પૂતળું બનાવ્યું.તેમાં જ ગુરુના પ્રાણ પૂરી તે જ બાણ વિદ્યા તે શીખ્યો જે ગુરુની સમક્ષ રહીને અર્જુન શીખ્યો.આના પરથી આપણને સમજાય છે જ્ઞાન દેવાથી નહી પણ અંતરની પ્રબળ ઈચ્છાથી પ્રગટ થાય છે.ને અંતરમાંથી ઉદભવેલું જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે.
જ્ઞાન એટલે પ્રકાશ, અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની માંગણીછે.અંધારામાં આપણે ગોથા ખાઈએ છીએ.પ્રત્યેક કાર્યમાં તર્ક વિતર્ક કરીને શંકામાં ગોથા ખાઈએ છીએ. શંકા હોય ત્યાં ભય આવે છે. શું સાચું ને શું ખોટું?એવા મનમાં પ્રશ્ન ઉઠે છે, ને ન સમજાતા ભક્ત હ્રદય બોલી ઉઠે છે, “ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય”પ્રભુ સુધી પહોચવાનો એક માર્ગ ભક્તિ માર્ગ છે, તે પણ ગુરુએ ચીંધ્યો હોય, તે માર્ગ પર ચાલતા ચાલતા પ્રભુમાં લીન થવાય, ઐક્ય થવાય એ જ જ્ઞાન ને એ જ પરમેશ્વર, એ જ સત્ય .ગાંધીબાપુએ સત્યને જ પરમેશ્વર માન્યા હતા.
ભાગવતગીતામાં પહેલા ૬ અધ્યાયમાં કર્મયોગ ,૭થી૧૨ અધ્યાયમાં જ્ઞાનયોગ અને ૧૩ થી૧૮ અધ્યાયમાં ભક્તિયોગ સરસ રીતે સમજાવ્યું છે.યોગ એટલે જોડાવું, કર્મયોગમાં સમજાવતા કહ્યું કે કર્મણ્યેવાધિકારસ્તે માં ફ્લેશું કદાચન. કર્મ તો નિત્ય કરતા રહેવું પણ કેવી રીતે?તેમાં આસક્તિ રાખ્યા વગર નિર્ણય પ્રભુને સોપી દેવો. જ્ઞાન દ્વારા પણ પ્રભુની પ્રાપ્તિ થાય.ને છેવટે ભક્તિયોગ, ભક્તિ દ્વારા પ્રભુની પ્રાપ્તિ, જેવી રીતે નરસિહ અને મીરાને અનુભૂતિ થઈ હતી.તેઓ કોઈ યુનિવર્સીટીમાં ભણવા નોતા ગયા, છતાં તેમની પાસે ઉત્તમ પ્રકારનું જ્ઞાન હતું તેથી તેમણે પ્રભુના દર્શન થયા હતા.
“જ્ઞાની જીવન દે”આ વિષય અતિ ગહન છે તેમાં ઊંડે ને ઊંડે ઉતરતા જાવ, ઉતરતા જાવ, નેને મારું સાચું સ્વરૂપ શું છે તે ખબર પડે તે જ સાચું જ્ઞાન, અંતરમાંથી જે પ્રગટે એ જ સત્ય એજ જ્ઞાન.
પગ મુક્યો મેં ઉંબરની બહાર, શોધવા નીકલ્યો હું જ્ઞાન, પ્રભુ!જ્ઞાની જીવન દે
ઉંબર તો ઓળંગી લીધો એમ સહજ, તોય ના આવ્યું જ્ઞાન
કારણ કે, એ તો મારી સહજ બુધ્ધિનું હતું જ્ઞાન
ચાલતા ચાલતા, પગમાં કાટો વાગ્યો, ને પગ ગયો થંભી
ફટક દઈને ખેંચી કાઢ્યો કાંટો, તો નીકળી ગયો એ વાર,
નહી તો જિંદગી ભર ખોતરતા ખોતરતા ના આવ્યો હતે પાર!
રખડી કુદરતને ખોળે મેળવવા હું જ્ઞાન!
નાના નાના રંગ બેરંગી પુષ્પોને પૂછ્યું, કોણે દીધું આ સૌન્દર્ય અને સુવાસ?
આ સૌન્દર્ય અને સુવાસ એ તો મૂળ બીજમાં જ હતું
તેથી રહ્યા અમે મઘમઘાટ!
ઉચા, ઉચા શિખરો ધરનતા પર્વત, પહાડોને પૂછ્યું
આટલા ઉચા થવાનો શો કરવો પડે પ્રયાસ?
કઈ નહી, બસ ઊભા રહો, ઊભા રહો
એટલે શું?
એટલે કે તપસ્યા.
એટલે કે દિવસ ઊગે ને આથમે, શિયાળામાં હુહુ કરતા ઠુંઠવાઇ મરો
ને ઉનાળામાં?
ભર તડકામાં તપી રહો, તપી રહો અગ્નિ સ્નાન કરતા રહો
તપસ્યાથી થાયે જ્ઞાન, ત્યારે જ ઉત્તુંગ શિખરે ઊભું રહેવાય.
ને ચોમાસામાં?
કોઈ આવે કે ના કોઈ વાવે, પૂર્વજન્મના સંસ્કાર ત્યાં આવે
ને ઉગી નીકળે રંગબેરંગી ફૂલ અને ફળ, વીના ખત
એક એક અણુને પરમાણું, હોયે શુધ્ધ માતાપિતાનું
ત્યાં આપોઆપ પ્રગટે ત્રણેય દત્ત
આત્રેય ઋષિ નેં અનસુયા માતાનું બાળ, દત્તાત્રેય
વિસર્જન ને સર્જન કરતા કરતા જ થાય નવસર્જન
કરતા જાવ કુકર્મનું વિસર્જન જીવનમાં, વિશુધ્ધ થતું જાયે મન
શુધ્ધા હી બુધ્ધિ: કિલ કામધેનું વિશુધ્ધ બુધ્ધિ કામધેનુંની માફક જીવન વિકાસના બારામા યથેચ્છ ફળ આપે છે.બુધ્ધિને વિશુધ્ધ કરવા માટે તેને રોજ સ્વાધ્યાયથી સ્નાન કરાવવું જોઈએ. માનવી ભલે બધું ખોઈ બેસે પરંતુ જો તેની બુધ્ધિ સુયોગ્ય અને સલામત હોય તો તે પાછી શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી શકે.
નિજ સત્ય સ્વરૂપનું થાયે દર્શન, એ જ સત્ય અને એજ જ્ઞાન, અંતરમાંથી જે પ્રગટે બસ, એજ સત્ય અને એજ જ્ઞાન.
પદમાં-કાન